જોડિયા તાલુકાના મેઘપર ગામની આગણવાડી ખાતે ઉકાળા નું વિતરણ…..

જોડિયા,

જોડિયા તાલુકાના મેઘપર ગામની આગણવાડી ખાતે ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. અને સાથે જ કોરોના મહામારી વચ્ચે નિષ્ઠા થી પોતાની ફરજ બજાવનાર એક નીડર યોધ્ધા તરીકે મતિ હર્ષાબેન રાજુભાઇ લશ્કરી (CHO) નું જોડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેશભાઈ બેચરભાઈ ચૌહાણ (ઉપ સરપંચ, મેઘપર) ના વરદ હસ્તે સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સમયે કિશોરભાઈ મઢવી (ઉપપ્રમુખ જિલ્લા ભા.જ.પ બક્ષીપચ મોરચા) હસમુખભાઈ વાઘેલા (ગ્રામ પંચાયત સદસ્ય) પ્રવીણભાઈ વાઘેલા (તાલુકા સંયોજક) ધર્મિષ્ઠાબેન અને ભાવનાબેન ( આગણવાડી સંચાલક) મિતલબેન, જોસનાબેન (આગણવાડી હેલ્પર) અને ભાવિસાબેન (આશા વર્કર) તમામ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment